- રાજસ્થાનમાં ગેહલોત સરકાર પર સંકટ પાંચમા દિવસે પણ યથાવત
- મુખ્યમંત્રી અશોક ગેહલોતનો 109 ધારાસભ્યો હોવાનો દાવો, કહ્યું- સરકારને ખતરો નથી
- બળવાખોર સચિન પાયલટના ગ્રુપે કહ્યું- અમારી પાસે 30થી વધુ ધારાસભ્યો, સરકાર બહુમતી સાબિત કરે
વિષ્ણુ શર્મા
Jul 14, 2020, 02:56 PM IST
જયપુર. સચિન પાયલટ માટે કોંગ્રેસના દરવાજા બંધ થઈ ગયા છે. ત્રણ દિવસથી તેમને મનાવવાની તમામ કોશિશો નિષ્ફળ ગયા પછી અંતે કોંગ્રેસે કાર્યવાહી કરે છે. સચિનને નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષપદેથી હટાવવામાં આવ્યા છે. આ સિવાય તેમના સમર્થક મંત્રી વિશ્વેન્દ્ર સિંહ અને રમેશ મીણાને પણ પદ પરથી હટાવવામાં આવ્યા છે. સચિનની જગ્યાએ ગોવિંદ સિંહ ડોટાસરાને રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસ કમિટીના નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. આ દરમિયાન સચિન પાયલટે પણ એક ટ્વિટ કર્યું છે. તેમાં તેમણે કહ્યું છે કે, સત્યને પરેશાન કરી શકાય છે, પરાજિત નહીં.
सत्य को परेशान किया जा सकता है पराजित नहीं।
— Sachin Pilot (@SachinPilot) July 14, 2020
બેઠકમાં સામેલ ન થયેલા ધારાસભ્યોની વિરુદ્ધ એક પ્રસ્તાવિત કરવામાં આવ્યો છે. તે મુજબ તેમને નોટીસ આપવામાં આવશે અને તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. તમામ ધારાસભ્યોએ સચિન પાયલટ સહિત 3 મંત્રીઓને સસ્પેન્ડ કરવા પર સહમતિ વ્યક્ત કરી છે. પાયલટને પ્રદેશ અધ્યક્ષ પદ પરથી હટાવવામાં આવશે.
આ પહેલા સીએમ નિવાસ પર સોમવારે બપોરે એક વાગ્યે ધારાસભ્ય પક્ષની બેઠક થઈ હતી. તેમાં સર્વસમ્મતિથી પ્રસ્તાવ પસાર કરવાની માંગ કરવામાં આવી હતી કે બેઠકમાં સામેલ ન થનાર ધારાસભ્યો પર કડક કાર્યવાહી કરવામાં અને તેમને સસ્પેન્ડ કરવામાં આવે.
આ પહેલા સોમવારે મુખ્યમંત્રી અશોક ગેહલોતે પોતાના ધારાસભ્યોને પરેડ કરાવી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે અમારી પાસે બહુમતી(101 ધારાસભ્યો)થી વધુ 109 ધારાસભ્યો છે. બીજી તરફ પાયલટે સોમવારે સાંજે તેમના ધારાસભ્યોનો વીડિયો બહાર પાડ્યો હતો અને કહ્યું હતું કે તેમની પાસે 19 ધારાસભ્યો છે. જોકે વીડિયોમાં 17 ધારાસભ્યો જ જોવા મળ્યા હતા. તેમણે કહ્યું કે ગેહલોત સરકાર લધુમતીમાં છે. ફલોર ટેસ્ટ કરાવવામાં આવે.
અપડેટ્સ
- ભાજપ નેતા ઓમ માથુરે કહ્યું- સચિન પાયલટ માટે પાર્ટીના દરવાજા ખુલ્લા છે. તેમનું સ્વાગત છે.
- સૂત્રોના જણાવ્યા મુજબ, સચિન પાયલટ હવે ગેહલોત સાથે કામ કરવા માંગતા નથી. તેમણે તેમની આ ઈચ્છા કોંગ્રેસના સિનિયર નેતાઓની સાથેની વાતચીતમાં જાહેર કરી
- સૂત્રોના જણાવ્યા મુજબ સચિન પાયલટ હવે ગેહલોતની સાથે કામ કરવા માંગતા નથી. તેમણે તેમની આ ઈચ્છા કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓની સાથેની વાતચીતમાં જાહેર કરી છે.
- રાજસ્થાન કોંગ્રેસ પ્રભારી અવિનાશ પાંડેએ મંગળવારે સવારે કહ્યું કે અમે સચિન પાયલટને બીજી તક આપી રહ્યાં છે, તેમને આજની ધારાસભ્ય પક્ષની બેઠકમાં ભાગ લેવાનું પણ કહ્યું છે. મને આશા છે કે આજે તમામ ધારાસભ્યો આવશે અને નેતૃત્વને પ્રોત્સાહન આપશે, જેના માટે રાજસ્થાનના લોકોએ મતદાન કર્યું, અમે બધા રાજ્યના વિકાસ માટે કામ કરવા માંગીએ છીએ.
में @SachinPilot और उनके सभी साथी विधायकों से अपील करता हूँ की वे आज की विधायक दल की बैठक में शामिल हों। कांग्रेस की विचारधारा और मूल्यों में अपना विश्वास जताते हुए कृपया अपनी उपस्थिति निश्चित करें व श्रीमती सोनिया गांघी जी व श्री राहुल गांधी जी के हाथ मज़बूत करें।
— Avinash Pande (@avinashpandeinc) July 14, 2020
- રાજ્યના મંત્રી રમેશ મીણાએ ન્યુઝ એજન્સી એએનઆઈને કહ્યું, આ સંકટમાં તેઓ સચિન પાયલટની સાથે છે.
- ગેહલોત ગ્રુપના ધારાસભ્યો જયપુર પાસે કૂકસની ફેર માઉન્ટ હોટલમાં રોકાયા છે. જ્યારે પાયલોટ ગ્રુપના ધારાસભ્યો હરિયાણાના માનેસરમાં રોકાયા છે.
- રાજસ્થાન ભાજપના અધ્યક્ષ સતીશ પુનિયાએ કહ્યું કોંગ્રેસ દાવો કરી રહી છે કે તેમના નેતા એક છે પરંતુ એ વાત સ્પષ્ટ છે કે તેમની વચ્ચે વિવાદ છે. આ કારણે સચિન પાયલટ પાર્ટી છોડી રહ્યાં છે. હાલ અમે ફલોર ટેસ્ટની માંગ કરી નથી.
તેમણે દાવો કર્યો છે કે કોંગ્રેસને 109 ધારાસભ્યોનું સમર્થન છે. તેમના નજીકના ગણતા ધારાસભ્યોએ એ વાત સ્પષ્ટ કરી છે કે પાયલટનું ગ્રુપ સમાધાન કરવાના મૂડમાં નથી. સાથે જ તેમણે એ પણ તર્ક લગાવ્યો છે કે અશોક ગેહલોત સરકારની પાસે બહુમતી છે તો તેઓ વિધાનસભામાં તેને સાબિત કરે, તેઓ પોતાના ધારાસભ્યોને શાં માટે હોટલમાં મોકલી રહ્યાં છે.
ઘરના લોકો ઘરમાં જ શોભા આપે છે- સુરજેવાલા
સુરજેવાલે કહ્યું કે ઘરના સભ્યો ઘરની અંદર જ શોભા આપે છે. કોંગ્રેસ ધારાસભ્ય પક્ષના એક-એક સભ્યનું કર્તવ્ય છે કે રાજસ્થાનના 8 કરોડ લોકોની સેવામાં સહયોગ આપે.
સચિન પાયલટ સહિત તમામ સાથીઓ જે નારાજ છે, તેમના માટે કોંગ્રેસના તમામ દરવાજા ખુલ્લા છે. મતભેદ હોય તો ચર્ચા કરો. સમસ્યાનો ઉકેલ આવશે. કાલે સવારે 10 વાગ્યે કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવી છે. સચિન પાયલટ અને તેમના સમર્થક ધારાસભ્યોને પણ બેઠકમાં આવવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.
પાયલટ સમર્થકોનો વીડિયો પ્રકાશમાં આવ્યો
સોમવારે સાંજે હરિયાણા માનેસરની હોટલમાં રોકાયેલા પાયલટ સમર્થક ધારાસભ્યોનો વીડિયો પ્રકાશમાં આવ્યો હતો. જોકે આ વીડિયોમાં પાયલટ દેખાઈ રહ્યાં નથી. બીજી તરફ કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે પાયલટ પાર્ટીના કાબેલ નેતાઓ પૈકીના એક છે. જો તેમણે તેમની મુશ્કેલીઓ રજૂ કરવી હોય તો તેઓ રજૂ કરી શકે છે. જોકે કોઈ કોંગ્રેસને નુકસાન પહોંચડવા કે સરકારને પાડવાની કોશિશ કરશે તો હું તેને રોકીશ.
સીએમ ગેહલોતના નિવાસસ્થાને સોમવારે બેઠક થઈ હતી
સીએમ ગેહલોતના નિવાસસ્થાને સોમવારે સવારે ધારાસભ્ય પક્ષની બેઠક યોજાઈ હતી. ત્યારપછી ગેહલોતે તેમની સરકાર સુરક્ષિત હોવાનો વિશ્વાસ અપાવ્યો હતો. બેઠક પછી ત્યાં હાજર તમામ ચાર ધારાસભ્યોને ચાર બસોથી સીધા માઉન્ટ ફેયર હોટલ મોકલી દેવાયા છે. આ પહેલા બેઠકમાં સામેલ થનારા ધારાસભ્યોને પોલીસ એસ્કોર્ટ વચ્ચે સુરક્ષામાં લાવવામાં આવ્યા હતા. ગેહલોત સાથે 96 થી 98 ધારાસભ્યોના આવવાના સમાચાર છે. જો કે, દાવો 107નો કરવામાં આવી રહ્યો છે.
બેઠક પછી કોંગ્રેસ ધારાસભ્ય પક્ષે રેઝોલ્યુશન પાસ કર્યું છે. જેમાં કહેવામાં આવ્યું કે, સરકાર વિરુદ્ધ કામ કરનારા લોકો પર કડક કાર્યવાહી કરવામાં આવશે. રેઝોલ્યુશનમાં પણ એવું જ કહેવામાં આવ્યું છે કે ભાજપ દ્વારા લોકતંત્ર ખતમ કરવાના પ્રયાસ કરવામાં આવ્યા છે, આ રાજ્યની 8 કરોડ જનતાનું અપમાન છે. ધારાસભ્ય પક્ષે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને અશોક ગેહલોત માટે સમર્થન વ્યક્ત કર્યું હતું.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, જે ધારાસભ્ય બેઠકમાં હાજર નહોતા તેમાં રાકેશ પારીક,મુરારી લાલ મીણા, જીઆર ખટાના, ઈન્દ્રાજ ગુર્જર, ગજેન્દ્ર સિંહ શક્તાવત, હરીશ મીણા, દીપેન્દ્ર સિંહ શેખાવત, ભંવર લાલ શર્મા, ઈન્દિરા મીણા, વિજેન્દ્ર ઓલા, હેમારામ ચૌધરી, પીઆર મીણા, રમેશ મીણા, વિશ્વેન્દ્ર સિંહ, રામનિવાસ ગાવડિયા, મુકેશ ભાકર અને સુરેશ મોદી છે.
SOGની નોટિસ પછી પાયલટ નારાજ
પાયલટ ધારાસભ્યોના ખરીદ વેચાણ અંગે તપાસ કરી રહેલી SOGની નોટિસ મળવાથી નારાજ છે. તેમને કોંગ્રેસના અન્ય અપક્ષ ધારાસભ્યોનું સમર્થન છે. આ સાથે જ CM ગેહલોતે રવિવારે રાતે 9 વાગ્યે ધારાસભ્યો સાથે બેઠક કરી હતી. ત્યાર પછી ગેહલોત સમર્થક ધારાસભ્યોએ દાવો કર્યો કે આપણા જેટલા ધારાસભ્ય જશે, એનાથી વધુ ધારાસભ્ય આપણે ભાજપ પાસેથી લઈને આવીશું.
SOG તપાસમાં સામે આવી ધારાસભ્યોને 25 કરોડ આપવાની વાત
SOGના જણાવ્યા પ્રમાણે, તેને ગેરકાયદે હથિયાર અને વિસ્ફોટક સામગ્રીની ચોરી સાથે જોડાયેલા મામલામાં મોબાઈલ નંબર 9929229909 અને 8949065678ને સર્વેલન્સ પર લીધા હતા.
સર્વેલન્સ પર લેવાયેલા મોબાઈલની વાતચીતમાં સામે આવ્યું છે કે રાજ્યસભા ચૂંટણી પહેલા સરકાર પાડવાનું કાવતરું કરાયું હતું. ધારાસભ્યોને 25-25 કરોડ રૂપિયા આપવાની માહિતી પણ સામે આવી છે.
શું કહે છે સમીકરણ
પાયલટનો દાવો છે કે તેમના સંપર્કમાં 30થી વધુ ધારાસભ્ય છે. તેને સાચું માનીએ તો ગેહલોત સરકાર લઘુમતીમાં આવી જશે. કોંગ્રેસના 107માંથી 30 ધારાસભ્ય રાજીનામું આપે તો ગૃહમાં ધારાસભ્યોની સંખ્યા 170 થઈ જશે. એવામાં બહુમતી માટે 86 ધારાસભ્યોની જરૂર પડશે. 30ના રાજીનામા પછી કોંગ્રેસ પાસે 77 ધારાસભ્ય બચશે. એક RLD ધારાસભ્ય પહેલાથી તેમની સાથે છે એટલે કોંગ્રેસની કુલ સંખ્યા 78 થશે. એટલે કે બહુમત કરતા 8 ઓછી. તો આ તરફ RLPના 3 ધારાસભ્ય મળીને ભાજપ પાસે 75 ધારાસભ્ય છે. સરકાર બનાવવા માટે ભાજપને અપક્ષ તોડવા પડશે. રાજ્યના 13 ધારાસભ્યોમાં હાલ 10 કોંગ્રેસ સમર્થક છે. જો આમાથી ભાજપ 8 ધારાસભ્યોને પોતાની તરફ કરી લેશે તો ભાજપની સરકાર બની શકે છે.
રાજસ્થાન વિધાનસભાની વર્તમાન સ્થિતિ: કુલ સીટ: 200
પાર્ટી | ધારાસભ્યોની સંખ્યા |
કોંગ્રેસ | 107 |
ભાજપ | 72 |
અપક્ષ | 13 |
RLP | 3 |
BTP | 2 |
ડાબેરી | 2 |
RLD | 1 |
Be the first to comment on "પાયલટની નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષપદેથી હકાલપટ્ટી, તેમના સમર્થક 2 મંત્રીઓ પણ સસ્પેન્ડ"