[:en]
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
26 મિનિટ પહેલા
- કૉપી લિંક
દિલજિત દોસાંજ ખેડૂત આંદોલનના સપોર્ટમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતો રહે છે. આ પોસ્ટ પર ઘણા લોકો તેનો સપોર્ટ કરી રહ્યા છે, તો ઘણા ટ્રોલ પણ કરી રહ્યા છે. હવે સોમવારે દિલજિતે સોશિયલ મીડિયા પર ટ્રોલર્સને પોતાની ભારતીય નાગરિકતા સાબિત કરવા માટે એક ફોટો શેર કરીને પુરાવો આપ્યો છે.
Ah Lao Fadh Lao Mera PLATINUM CERTIFICATE
“In Recognition of the Contribution Towards Building THIS GREAT NATION”
Twitter Te Beh Ke Apne Aap Nu Desh Bhakt Dasan NAAL Tusi Desh Bhakt Ni Ban Jande.. Odey Lai Kam Karna Penda..
— DILJIT DOSANJH (@diljitdosanjh) January 3, 2021
દિલજિતે જે ફોટો શેર કર્યો છે તે ફાઇનાન્સ મિનિસ્ટ્રી દ્વારા જાહેર કરવામાં આવેલું ‘પ્લેટિનયમ સર્ટિફિકેટ’ છે. જે પ્રમાણિત કરે છે કે દિલજિતે વર્ષ 2019-2020 માટે ટેક્સ ભર્યો છે અને IT રિટર્ન ફાઈલ કર્યું છે. આ સર્ટિફિકેટ પર લખ્યું છે, ‘અમે પ્લેટિનયમ કેટેગરીના ટેક્સપેયરનો આદર કરીએ છીએ, જે આ મહાન રાષ્ટ્રના નિર્માણ માટે પોતાનું યોગદાન આપે છે.’
Jee Tan Ni C Karda Par Ah Lao..
Aj Haalat Eh Ban Gaye aa Ke Apne Aap Nu BHARAT DA NAGRIK HON DA V SABOOT DENA PEY RIHA ..
Eni Hate Eni Nafarat Na Failao Buggey..
Havaa Ch Teer ni Chalaide.. Edar Odar Vajj Jande Hunde aa 😎 pic.twitter.com/zeD6BOxbF8
— DILJIT DOSANJH (@diljitdosanjh) January 3, 2021
દિલજિતે સર્ટિફિકેટ શેર કરી લખ્યું, ‘હું આ સર્ટિફિકેટ શેર કરવા ઈચ્છતો ન હતો, પણ સ્થિતિ એવી બની ગઈ છે કે મારે મારી ભારતીય નાગરિકતા સાબિત કરવા માટે પુરાવો આપવો પડી રહ્યો છે. તેણે આગળ કહ્યું કે હું લોકોને નફરત ન ફેલાવવા અપીલ કરું છું. ટ્વિટર પર ખુદને દેશભક્ત સાબિત કરવાથી તમે દેશભક્ત નથી બની જતા. તેના માટે કામ કરવું પડે છે.’ છેલ્લા ઘણા દિવસથી દિલજિતની નાગરિકતાને લઈને સવાલ ઉઠી રહ્યા હતા.
ખેડૂતોનું સમર્થન કરવા માટે દિલજિત સિંધુ બોર્ડર પહોંચ્યો હતો
થોડા દિવસ પહેલાં દિલજિત નવા ખેતી નિયમ વિરુદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂતના સમર્થન માટે સિંધુ બોર્ડર પહોંચ્યો હતો. તે ડિસેમ્બરમાં ખેડૂત મુદ્દે કંગના રનૌત સાથેના વિવાદને લઈને ચર્ચામાં હતો.
[:]
Be the first to comment on "[:en]દિલજિતે નાગરિકતાનો પુરાવો આપ્યો: ટ્રોલ થયા બાદ દિલજિત દોસાંજે ‘ટેક્સપેયર સર્ટિફિકેટ’ શેર કરીને પોતાની ભારતીય નાગરિકતા સાબિત કરી, કહ્યું – નફરત ન ફેલાવો[:]"