[:en]
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
7 મિનિટ પહેલા
- કૉપી લિંક
ગાંગુલીને 2જી જાન્યુઆરીએ દાખલ કરવામાં આવ્યા હતા.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના અધ્યક્ષ સૌરવ ગાંગુલીને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ. તેમને 2 જાન્યુઆરીએ કાર્ડિઆક અરેસ્ટ પછી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગાંગુલી હોસ્પિટલથી સીધા ઘરે પહોંચ્યા છે.
આરામ કરવાના સવાલ વિશે તેમણે મીડિયાને કહ્યું છે કે, તેમનું શરીર જે રીતે રિએક્ટ કરશે તે પ્રમાણે તેઓ કરશે. હોસ્પિટલમાંથી રજા લીધા પછી ગાંગુલીએ કહ્યું હતું કે, હું ડોક્ટર્સનો આભાર માનુ છું કે, તેમણે મારી ખૂબ સરસ રીતે સારવાર કરી અને હવે હું સંપૂર્ણ રીતે ઠીક છું.
#WATCH | “I thank the doctors at the hospital for the treatment. I am absolutely fine,” says BCCI President Sourav Ganguly after being discharged from Kolkata’s Woodlands Hospital. pic.twitter.com/BUwsz5h1FQ
— ANI (@ANI) January 7, 2021
હોસ્પિટલ દ્વારા બુધવારે કહેવામાં આવ્યું છે કે ગાંગુલીની સારવાર કરતા ડોકટરોની મેડિકલ ટીમ સમયે સમયે તેમના ઘરે જઇને તેમના સ્વાસ્થ્ય પર નજર રાખશે. આ અગાઉ મંગળવારે હોસ્પિટલ વહીવટી તંત્ર દ્વારા જારી કરવામાં આવેલા મેડિકલ બુલેટિનમાં એવું કહેવામાં આવ્યું હતું કે બ્લડ ટેસ્ટ રિપોર્ટ સંતોષકારક છે. વરિષ્ઠ કાર્ડિયાક સર્જન ડોક્ટર દેવી શેટ્ટી મંગળવારે ગાંગુલીને મળવા પહોંચ્યા હતા. તેઓ ગાંગુલીની સારવાર કરતા 9 ડોકટરોની મેડિકલ ટીમને મળ્યા હતા. તેમણે કહ્યું, ‘ગાંગુલીને કોઈ મોટી સમસ્યા નથી. કોરોનરી ધમનીમાં અવરોધ આવે તેવું મોટાભાગના ભારતીયો સાથે થાય છે. તેમના હૃદયમાં કોઈ સમસ્યા નથી. 48 વર્ષીય ગાંગુલીનું હૃદય જેવું 28 વર્ષ પહેલાં હતું, આજે પણ એવું જ છે.
હોસ્પિટલ દ્વારા સોમવારે જાહેર કરવામાં આવેલા હેલ્થ બુલેટિનમાં, એવું કહેવામાં આવ્યું હતું કે ગાંગુલીની ઇસીજી તેમના હાર્ટ ફંક્શન વિશે જાણવા માટે કરવામાં આવી છે. રેસ્પિરેટરી રેટ 15 પ્રતિ મિનિટ છે. ગાંગુલીની એન્જિયોપ્લાસ્ટી થઈ ચૂકી છે.
આ અગાઉ, મેડિકલ ટીમના વડા, જે ગાંગુલીની સારવાર કરી રહ્યા હતા, સરોજ મોંડલે રવિવારે કહ્યું હતું કે દાદાની હાલત સ્થિર છે. રવિવારે તેમનો ઇસીજી ટેસ્ટ રિપોર્ટ પણ સામાન્ય આવ્યો હતો. ટૂંક સમયમાં તેઓ તેમની દૈનિક પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકશે.
[:]
Be the first to comment on "[:en]ગાંગુલીને હોસ્પિટલમાંથી રજા મળી: BCCI અધ્યક્ષ પોતાના ઘરે પહોંચ્યા, કહ્યું- શરીર જે પ્રમાણે સહકાર આપશે તે પ્રમાણે આગળ નિર્ણય લેશે[:]"